જામનગરના ITRAમાં બાળ પંચકર્મ સારવાર
જામનગરના ITRAમાં બાળ પંચકર્મ સારવાર
Published on: 10th August, 2026

બાળકોમાં વધતી જતી ચંચળતા, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ચામડીના અને શ્વસન તંત્રના રોગો જેવી સમસ્યાઓ માટે જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ખાતે બાળ પંચકર્મ સારવાર એક અસરકારક વિકલ્પ સાબિત થઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં 700થી વધુ બાળકોને વિવિધ રોગોમાં પંચકર્મની સારવાર આપવામાં આવી, જેમાં શ્વાસ અને સોરાયસિસ જેવા રોગોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કુલ 17,265 પંચકર્મ પ્રક્રિયાઓ કરવામાં આવી, જે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થઈ રહી છે.