ગણેશોત્સવ મંડળોને 'ડ્રગ-મુક્ત મુંબઈ' સંદેશ ફેલાવવા અપીલ
ગણેશોત્સવ મંડળોને 'ડ્રગ-મુક્ત મુંબઈ' સંદેશ ફેલાવવા અપીલ
Published on: 12th August, 2026

ગણેશોત્સવ દરમિયાન ‘ડ્રગ-મુક્ત મુંબઈ’ અભિયાનનો સંદેશ સમાજ સુધી પહોંચાડવા કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ગણેશ મંડળોને સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે તમામ ગણેશોત્સવ મંડળોએ તેમની સજાવટ અને થીમ ‘ડ્રગ-મુક્ત મુંબઈ’ અભિયાનને અનુરૂપ ડિઝાઇન કરવી જોઈએ, જેથી યુવાનોમાં જાગૃતિ આવે અને તેઓ ડ્રગ્સ મુક્ત મુંબઈ માટે પ્રતિજ્ઞા લેવા પ્રેરાય. આ માટે મંડળોએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. બેઠકમાં બીએમસી અધિકારીઓ, પોલીસ, ટ્રાફિક પોલીસ અને અન્ય વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.