મુંબઈ ઘાટકોપરમાં ભૂસ્ખલન: 2નાં મોત
મુંબઈ ઘાટકોપરમાં ભૂસ્ખલન: 2નાં મોત
Published on: 12th August, 2026

મુંબઈના ઘાટકોપરના સાકીનાકા ગૌસિયા ચાલ વિસ્તારમાં રાતોરાત થયેલા ભારે વરસાદને કારણે પર્વતનો એક ભાગ ધરાશાયી થયો છે. આ ભૂસ્ખલનમાં 2થી 3 ઘરો પર માટી અને પથ્થરો પડ્યા છે, જેના કારણે 5થી 6 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. DCP ગણેશ શિંદેના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે અને બચાવ કાર્ય ચાલુ છે.