નેત્રમણી આરોપણ કેમ્પ: 6700થી વધુ લોકોને નવી દૃષ્ટિ મળી
નેત્રમણી આરોપણ કેમ્પ: 6700થી વધુ લોકોને નવી દૃષ્ટિ મળી
Published on: 03rd February, 2026

મોરબીના જલારામધામ ખાતે યોજાતા નેત્રમણી આરોપણ કેમ્પમાં 6700થી વધુ લોકોને નવી દ્રષ્ટિ મળી. દર મહિનાની 4 તારીખે જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે કેમ્પ યોજાય છે. જેમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના ડોક્ટરો દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવે છે અને ફેકો મશીનથી નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન થાય છે. રાજકોટ આવવા-જવાની વ્યવસ્થા પણ સંસ્થા કરે છે.