સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં DCPની બદલીનો હાઈકોર્ટનો આદેશ
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં DCPની બદલીનો હાઈકોર્ટનો આદેશ
Published on: 14th August, 2026

સુરતમાં આરોપીઓને જાહેર રસ્તા પર માર મારવાના અને તેનું સરઘસ કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે લેવાયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરતના DCP રાજદીપસિંહ નકુમની તાત્કાલિક અસરથી બદલી કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. સિનિયર અધિકારી હોદ્દા પર રહેશે તો નાના કર્મચારીઓ સાક્ષી આપશે નહીં તેવું કોર્ટે જણાવ્યું. આ ઘટના અત્યંત ગંભીર અને સ્વીકારી શકાય નહીં તેવી છે, જેના નિષ્પક્ષ તપાસ માટે DCPની બદલી અનિવાર્ય છે.