લુણાવાડા-સંતરામપુર હાઇવે પર દૂધના ટેન્કર અને કારની ટક્કરમાં પરિવારના 3 લોકોના મોત
લુણાવાડા-સંતરામપુર હાઇવે પર દૂધના ટેન્કર અને કારની ટક્કરમાં પરિવારના 3 લોકોના મોત
Published on: 14th August, 2026

મહીસાગર જિલ્લામાં લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક દૂધના ટેન્કરે કારને અડફેટે લેતાં કારમાં સવાર દાહોદના ફતેપુરાના એક જ પરિવારના ત્રણ સભ્યો - કાર ચાલક હાર્દિક પ્રજાપતિ, તેની માતા પુષ્પાબહેન પ્રજાપતિ અને દાદી સવિતાબહેન પ્રજાપતિ - ના ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યા. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ ટેન્કરચાલક ફરાર છે. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.