સુરેન્દ્રનગરમાં 350 પ્લોટમાં ભરાયું પાણી, ખર્ચ રૂ. 10,000 તો દંડ માત્ર રૂ. 200
સુરેન્દ્રનગરમાં 350 પ્લોટમાં ભરાયું પાણી, ખર્ચ રૂ. 10,000 તો દંડ માત્ર રૂ. 200
Published on: 27th August, 2026

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 15 દિવસથી વરસાદ ન હોવા છતાં, 350 ખાનગી પ્લોટોમાં પાણી ભરાયેલું છે. આના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને બાળકોમાં Dengue, Swine Flu જેવી બીમારીઓનો ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને શાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીથી રોગચાળાની દહેશત છે. મનપા દ્વારા આવા પ્લોટ માલિકોને પાણી નિકાલ માટે નોટિસ આપી દંડ કરવાની સત્તા સેનેટરી ઇન્સ્પેક્ટરને અપાઈ છે. પરંતુ, માત્ર રૂ. 200નો નજીવો દંડ વસૂલાતો હોવાથી, માલિકો તેના બદલે પાણી કાઢવાનો રૂ. 10,000 થી 15,000 સુધીનો ખર્ચ ટાળીને દંડ ભરી છટકી જાય છે.