સુરત પાલિકાની તપાસમાં માવામાં ભેળસેળનો પર્દાફાશ
સુરત પાલિકાની તપાસમાં માવામાં ભેળસેળનો પર્દાફાશ
Published on: 27th August, 2026

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રક્ષાબંધન પહેલાં માવા-મીઠાઈના વેપારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 16 માવાના નમૂનામાંથી 2 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આ નમૂનાઓ 'નંદકિશોર એસ.માવાવાલા' અને 'જય માં વૈષ્ણવી સ્વીટ' ના હતા, જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ નિર્ધારિત 30% કરતાં 6-8% ઓછું જણાયું હતું. આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુમાં, 419.78 કિલો ખાદ્યપદાર્થ નાશ કરાયો અને 170 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે.