ખાંડ અને ડ્રાયફ્રૂટ મોંઘા, મીઠાઈના ભાવમાં રૂ.100 સુધીનો વધારો
ખાંડ અને ડ્રાયફ્રૂટ મોંઘા, મીઠાઈના ભાવમાં રૂ.100 સુધીનો વધારો
Published on: 27th August, 2026

શ્રાવણ માસની શરૂઆત સાથે જ ઝાલાવાડમાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. કાચા માલ, દૂધ, માવો, ઘી, ખાંડ અને પેકિંગ મટિરિયલના ભાવ વધતાં વેપારીઓએ મીઠાઈના કિલોદીઠ ભાવમાં રૂ. 40થી રૂ. 100 સુધીનો વધારો કર્યો છે. માવાની વાનગીઓ રૂ. 600, શુદ્ધ ઘીની મીઠાઈઓ રૂ. 720 અને સુગર-ફ્રી મીઠાઈઓ રૂ. 1200 પ્રતિ કિલો થઈ ગઈ છે. ડ્રાયફ્રૂટમાં પણ ભાવ આસમાને પહોંચ્યા છે. આ ભાવવધારાથી ગ્રાહકોની ખરીદશક્તિ પર અસર પડી રહી છે.