સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચેરમેન વરણી સ્થગિત: આંતરિક અસંતોષના કારણે બેઠક મુલતવી
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચેરમેન વરણી સ્થગિત: આંતરિક અસંતોષના કારણે બેઠક મુલતવી
Published on: 12th June, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી માટે આજે જિલ્લા સેવા સદન ખાતે યોજાનારી બેઠક મુલતવી રાખવામાં આવી છે. અગાઉ 6 જૂનના રોજ પણ આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચેરમેનની વરણી પ્રક્રિયામાં આંતરિક નારાજગીનો સૂર ઉઠ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ નારાજગીને કારણે જ બેઠક મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. જોકે, બેઠક સ્થગિત કરવાના કારણ અંગે જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. રાજકીય વર્તુળોમાં એવી શક્યતા સેવાઈ રહી છે કે, ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત થયા બાદ ભાજપનો આંતરિક અસંતોષ ખુલ્લી રીતે બહાર આવી શકે છે.