અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવ પરથી 160થી વધુ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવ પરથી 160થી વધુ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
Published on: 12th June, 2026

અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવ ખાતે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ અંતર્ગત મેગા ડિમોલિશન હાથ ધરાયું. વહેલી સવારથી જ 160થી વધુ ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામો અને 14 કોમર્શિયલ બાંધકામો પર JCB અને હિટાચી મશીનો ફેરવી દેવાયા. આશરે 26,000 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા દબાણમુક્ત કરાવી તેનો કબજો મેળવવામાં આવ્યો. કાયદો-વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત પરિવારો માટે રેન બસેરામાં રહેવા-જમવાની વ્યવસ્થા અને લાયક લાભાર્થીઓને સરકારી યોજના હેઠળ વૈકલ્પિક મકાનો ફાળવવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.