વાપીના કરવડમાં ભંગારના ચાર ગોડાઉનમાં ભીષણ આગ!
વાપીના કરવડમાં ભંગારના ચાર ગોડાઉનમાં ભીષણ આગ!
Published on: 12th June, 2026

વાપીના કરવડ વિસ્તારમાં આજે સવારે ભંગારના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જે થોડી જ વારમાં અન્ય ત્રણ ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. લગભગ ચાર કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગના કારણે નીકળેલા ધુમાડા દૂર સુધી દેખાયા હતા. આ વિસ્તારમાં ભંગારના ગોડાઉનોના કારણે વારંવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, જે પર્યાવરણ અને લોકોના જીવ માટે જોખમી છે.