સુરત મનપા કમિશનર સસ્પેન્ડ કેમ નથી? હાઈકોર્ટ સરકાર પર લાલઘૂમ
સુરત મનપા કમિશનર સસ્પેન્ડ કેમ નથી? હાઈકોર્ટ સરકાર પર લાલઘૂમ
Published on: 20th July, 2026

સુરતના નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનના મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી છે. 26 પીડિતોની અરજી પર સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે વેધક પ્રશ્ન પૂછ્યો કે, સુરત મ્યુનિસિપલ કમિશનરને હજુ સુધી શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી? કોર્ટે નિરાશા વ્યક્ત કરી કે મોટાભાગે નાના અધિકારીઓને બલિનો બકરો બનાવી મોટા અધિકારીઓ છટકી જાય છે. સરકારે દલીલ કરી કે આ ઘટનામાં સરકાર સીધી રીતે જવાબદાર નથી, પરંતુ હાઈકોર્ટે કહ્યું કે આટલા મોટા પાયે ડિમોલિશનની જાણ ન હોવી અશક્ય છે. કોર્ટે કાયદાકીય પ્રક્રિયા વિના મકાનો તોડી પાડવા બદલ કોર્પોરેશનને પણ પ્રશ્નો કર્યા.