સુરત પાલિકાના અધિકારી ધર્મેશ પટેલનું વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાનનો નિર્ણય
સુરત પાલિકાના અધિકારી ધર્મેશ પટેલનું વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાનનો નિર્ણય
Published on: 14th September, 2026

સુરત મહાનગર પાલિકાના સુમન સેલના વડા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ શાસનાધિકારી ધર્મેશ પટેલનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેમના શાંત અને સૌમ્ય સ્વભાવના કારણે તેઓ સૌના પ્રિય હતા. મૃત્યુ બાદ પણ વિદ્યાર્થીઓના અભ્યાસ અને તબીબી શિક્ષણમાં યોગદાન આપવા માટે તેમના પરિવારે દેહદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો છે. ધર્મેશ પટેલ સુરત મહાનગર પાલિકામાં લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. દેહદાનનો આ નિર્ણય સમાજ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ગણવામાં આવી રહ્યો છે.