જામનગર પાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાના કર્મયોગીઓનો ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન સમારોહ
જામનગર પાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાના કર્મયોગીઓનો ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન સમારોહ
Published on: 14th September, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત શ્રાવણી લોકમેળા-2026 દરમિયાન ઉત્કૃષ્ટ સેવાઓ આપી લોકમેળાને સફળ બનાવનાર કર્મયોગીઓની સેવાઓની કદર કરવા વિશેષ સન્માન સમારોહ યોજાયો. મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેન, શહેર ભાજપના અધ્યક્ષ, મહામંત્રીઓ, કોર્પોરેટરો અને ડેપ્યુટી કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. તમામ કર્મયોગીઓને શાલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા.