જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિ મંડપ બાંધતી વખતે યુવાન પર લોખંડના પાઈપથી હુમલો
જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિ મંડપ બાંધતી વખતે યુવાન પર લોખંડના પાઈપથી હુમલો
Published on: 14th September, 2026

જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિ મંડપ બાંધવાના કામ દરમિયાન બોલાચાલી બાદ ચાર-પાંચ શખ્સોએ યુવાન પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો. સાગર દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.28) સુભાષ બ્રિઝ પાસે મંડપનું કામ કરતા હતા ત્યારે નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ તથા ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા. આરોપીઓએ ગાળો આપી સાગરભાઈના જમણા હાથ પર પાઈપથી ઘા કર્યો. તેમને દુકાનમાં પણ માર માર્યો, જેથી હાથ-પગમાં ગંભીર ઈજા થઈ. બચાવવા વચ્ચે પડેલા મિત્રને પણ ઈજા થઈ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.