રામ મંદિર દાન ચોરી મુદ્દે નૃપેન્દ્ર મિશ્રા દુઃખી, 'આ તો કલંક કહેવાય...'
રામ મંદિર દાન ચોરી મુદ્દે નૃપેન્દ્ર મિશ્રા દુઃખી, 'આ તો કલંક કહેવાય...'
Published on: 11th July, 2026

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિર દાન ચોરી મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટના "કલંક" સમાન છે અને તેનાથી સૌ નાનમ અનુભવી રહ્યા છે. ટ્રસ્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને મંદિરની વ્યવસ્થાઓને વધુ મજબૂત તથા પારદર્શક બનાવવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વહીવટી સ્તરે સુધારા કરવામાં આવશે. શ્રદ્ધાળુઓનો વિશ્વાસ સર્વોપરી છે અને તેને જાળવી રાખવો એ ટ્રસ્ટની મુખ્ય જવાબદારી છે.