સાળંગપુર હનુમાનજી મંદિરે દિવ્ય શણગાર:ફૂલો અને અન્નકૂટ ધરાવાયો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
સાળંગપુર હનુમાનજી મંદિરે દિવ્ય શણગાર:ફૂલો અને અન્નકૂટ ધરાવાયો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
Published on: 28th February, 2026

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો હતો. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં દાદાને ફૂલોનો આકર્ષક અને ભવ્ય શણગાર અર્પણ કરાયો હતો. દાદાની મૂર્તિ અત્યંત મનોહર લાગી રહી હતી. આ પ્રસંગે સુખડી, ડ્રાયફ્રૂટ, દાળિયા, ધાણી તેમજ વિવિધ પ્રકારના ફરસાણનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા.