સાબરમતી જેલમાં રક્ષાબંધન: 3000 કેદીઓને બહેનોએ બાંધી રાખડી
સાબરમતી જેલમાં રક્ષાબંધન: 3000 કેદીઓને બહેનોએ બાંધી રાખડી
Published on: 28th August, 2026

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા. ગુનાહિત પ્રવૃત્તિ બદલ જેલમાં સજા ભોગવી રહેલા 3000 થી વધુ કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી. ભાઈ-બહેનના સ્નેહભર્યા મિલનથી સમગ્ર જેલ પરિસર ભાવુક બન્યું હતું. બહેનોએ ભાઈઓને સન્માનજનક જીવન જીવવાની અને ભવિષ્યમાં ગુનાહિત માર્ગ ન અપનાવવાની શિખામણ આપી. કેદીઓએ પણ સુધારાનો સંકલ્પ લીધો, જેનાથી સ્વજનો અને જેલ પ્રશાસનમાં સંતોષની લાગણી છવાઈ.