રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલિશનની શક્યતા: મનપાની તૈયારી, અધિકારીઓને સ્ટેન્ડ ટુ આદેશ.
રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલિશનની શક્યતા: મનપાની તૈયારી, અધિકારીઓને સ્ટેન્ડ ટુ આદેશ.
Published on: 18th February, 2026

રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો દૂર કરવા મનપા સજ્જ છે. JCB, ટ્રેક્ટર અને કટર તૈયાર છે, પાંચ બોર્ડના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ અપાયો છે. આજી નદી કાંઠે રૂ. 220 કરોડની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરાશે, જ્યાં નવા પ્રોજેક્ટ થઈ શકે છે. હાઇકોર્ટમાં અરજીઓ રદ થતા ડિમોલિશનની તૈયારી. જોકે, ડિમોલિશન અંગે સત્તાવાર નિર્ણય લેવાયો નથી.