અમદાવાદમાં ગણેશ સ્થાપનાના દિવસે વરસાદ વિઘ્નરૂપ
અમદાવાદમાં ગણેશ સ્થાપનાના દિવસે વરસાદ વિઘ્નરૂપ
Published on: 14th September, 2026

અમદાવાદમાં ગણેશ ચતુર્થીના દિવસે થયેલા ભારે વરસાદને કારણે ગણપતિ બાપ્પાની મૂર્તિઓના વેચાણ કરતા વેપારીઓની ચિંતા વધી છે. વટવા ચાર માળીયા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મૂર્તિ બજારમાં ખરીદી માટે આવતા લોકોની સંખ્યા ઘટી છે. વેપારીઓને આર્થિક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ, ભક્તો માટે પણ સ્થાપનના શુભ મુહૂર્ત દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બન્યો છે. ઘણા સ્થળોએ નિર્ધારિત સમયે સ્થાપના મુશ્કેલ બની છે. હવે ભક્તો વૈકલ્પિક શુભ મુહૂર્તમાં સ્થાપનાની તૈયારી કરી રહ્યા છે.