થરાદ નર્મદા કેનાલ બની 'મૃત્યુપાશ'
થરાદ નર્મદા કેનાલ બની 'મૃત્યુપાશ'
Published on: 03rd August, 2026

થરાદની મુખ્ય નર્મદા કેનાલ હવે 'મૃત્યુપાશ' સમાન બની છે. જમડા પુલ પાસે કેનાલમાં જમાઈને બચાવવા જતાં સાળા-સસરા ડૂબી જતાં મોતને ભેટ્યા. અગાઉ પણ અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સ્થાનિકો દ્વારા વારંવાર તાર ફેન્સિંગ (સુરક્ષા જાળી) બનાવવા રજૂઆતો કરાઈ છે, પરંતુ તંત્રની બેદરકારી પ્રજા પર ભારે પડી રહી છે. આ દુ:ખદ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં શોકનો માહોલ છવાયો છે. તેઓ તાત્કાલિક કેનાલ પર સુરક્ષા જાળી લગાવવાની ઉગ્ર માગ કરી રહ્યા છે.