સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બે પુખ્ત મગર દેખાયા
સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બે પુખ્ત મગર દેખાયા
Published on: 03rd August, 2026

સુરતમાં તાપી નદીમાં ખાડી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બે પુખ્ત મગર દેખાતા દહેશતનો માહોલ સર્જાયો છે. ઉપરવાસમાંથી છોડાયેલા પાણી સાથે મગરો પણ કિનારે પહોંચ્યા છે. અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં મગરના બચ્ચા બાદ હવે બે મોટા મગર જોવા મળ્યા છે. માછીમારી કરતા યુવાનોએ બનાવેલો વીડિયો સામે આવતા આ ઘટનાની પુષ્ટિ થઈ છે. માછીમારો અને નદીકાંઠાના રહેવાસીઓમાં ભયનો માહોલ છે. છેલ્લા એક અઠવાડિયાથી મગર દેખાતા હોવાથી વન વિભાગને જાણ કરાઈ છે.