ગાંધીનગરમાં PDEU નજીક 11મા માળેથી વિદ્યાર્થીએ કૂદીને આપઘાત કર્યો
ગાંધીનગરમાં PDEU નજીક 11મા માળેથી વિદ્યાર્થીએ કૂદીને આપઘાત કર્યો
Published on: 03rd August, 2026

ગાંધીનગરના રાયસણ સ્થિત PDEU યુનિવર્સિટી નજીક વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટીમાં 19 વર્ષીય B.Tech વિદ્યાર્થી દેવર્ષ અજય દીક્ષિતે 11મા માળેથી કૂદીને આપઘાત કર્યો. અમદાવાદના ઘોડાસરનો રહેવાસી દેવર્ષ, વડોદરાથી પરત ફર્યા બાદ પિતાના ખાલી ફ્લેટ પર આવ્યો હતો. ત્યાંથી તેણે મિત્ર રોનિત સાથે લાંબી વાત કરી અને બાદમાં કૂદી ગયો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવકના આ પગલાં પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અસ્પષ્ટ છે.