જામનગર જિલ્લામાં મેઘરાજાની કૃપા
જામનગર જિલ્લામાં મેઘરાજાની કૃપા
Published on: 03rd August, 2026

જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે પીઠડમાં 6 ઇંચ અને લતીપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેર, લાલપુર અને કાલાવડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે, જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રવિવારે રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન થયેલા વરસાદ બાદ સોમવારે મેઘરાજાએ વિરામ લીધો હતો, જેના કારણે જનજીવન સામાન્ય બન્યું હતું. પીજીવીસીએલ (PGVCL) દ્વારા વરસાદ બાદ ટ્રિપ થયેલા 7 વીજ ફીડરને તાત્કાલિક કાર્યરત કરીને વીજ પુરવઠો પૂર્વવત્ કરાયો હતો.