સુરતના જહાંગીરપુરાના ગટર સમસ્યા મુદ્દે 10 હજાર લોકો પાલિકા કચેરી સામે ધરણા કરશે
સુરતના જહાંગીરપુરાના ગટર સમસ્યા મુદ્દે 10 હજાર લોકો પાલિકા કચેરી સામે ધરણા કરશે
Published on: 10th August, 2026

સુરતના જહાંગીરપુરાના સાંસ્કૃતિક આવાસમાં ગટરની ગંભીર સમસ્યા છેલ્લા દોઢ વર્ષથી યથાવત છે, જેના કારણે 10 હજારથી વધુ લોકો દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવા મજબૂર છે. ગટરનું ગંદુ પાણી પીવાના બોરિંગ પાણીમાં ભળી જતાં સ્વાસ્થ્ય જોખમાયું છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન મળતાં રહીશોનો ધીરજ ખૂટી પડ્યો છે. એક અઠવાડિયામાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી આપી છે.