જામનગરના મહાવીરનગરમાં 5 નશાખોરો વૃંદાવન રેસીડેન્સી પાર્કિંગમાં ઝડપાયા
જામનગરના મહાવીરનગરમાં 5 નશાખોરો વૃંદાવન રેસીડેન્સી પાર્કિંગમાં ઝડપાયા
Published on: 10th August, 2026

જામનગરના મહાવીરનગર વિસ્તારમાં વૃંદાવન રેસીડેન્સીના પાર્કિંગમાં 5 શખ્સો દારૂના નશામાં ધમાલ કરતા ઝડપાયા. 112 જનરક્ષક ટીમે સ્થળ પર પહોંચી પાંચેયને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં પાંચેય શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાયું હતું અને તેમની પાસે દારૂ પીવાની કોઈ પાસ-પરમીટ ન હોવાનું સામે આવતાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ધીરેનભાઈ વિનોદભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.