વેટ વિદાયના ૧૦ વર્ષ પછી પણ કરોડોનું રિફંડ અટવાયું
વેટ વિદાયના ૧૦ વર્ષ પછી પણ કરોડોનું રિફંડ અટવાયું
Published on: 15th September, 2026

ગુજરાતમાં વેટ (VAT) નાબૂદ થયાને દસ વર્ષ થવા છતાં હજારો વેપારીઓના કરોડો રૂપિયાના રિફંડ હજુ પણ સરકારી તંત્રમાં અટવાયા પડ્યા છે. વેપારીઓ GST માં સ્થળાંતરિત થતાં તેમના વેટ ખાતાઓ હિસાબ શાખામાં દેખાતા નથી. આ કારણે, રિફંડના ઓર્ડર થયા પછી પણ, અધિકારીઓ બેન્ક એકાઉન્ટ રિફ્લેક્ટ ન થતાં રકમ ચૂકવી શકતા નથી. વેટ ખાતાઓ લૉક હોવાથી સુધારા પણ શક્ય નથી, અને લોગ ઇન આઈડી-પાસવર્ડની સમસ્યા પણ છે. વેપારીઓને એફિડેવિટ જેવી બિનજરૂરી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, અને ફાઇલોની ચક્કરડી અને વાંધાઓને કારણે રિફંડમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે.