પોરબંદરના ખીસ્ત્રી ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી અંગે શિબિર
પોરબંદરના ખીસ્ત્રી ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી અંગે શિબિર
Published on: 03rd September, 2026

પોરબંદરના ખીસ્ત્રી ક્લસ્ટરમાં NMNF યોજના હેઠળ ખેડૂતો માટે એક માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં ખેડૂતોને રાસાયણિક ખાતરો અને દવાઓનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરાયા. કાર્યક્રમમાં અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા organic inputs બનાવવાની વિસ્તૃત રીત સમજાવવામાં આવી. ખેતી ખર્ચ ઘટાડવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને ગુણવત્તાયુક્ત ઝેરમુક્ત ઉત્પાદન મેળવવા અંગે ચર્ચા થઈ. નિષ્ણાતોએ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ કરી, સ્થાનિક કુદરતી સંસાધનોના ઉપયોગ દ્વારા આર્થિક સક્ષમતા વધારવા માર્ગદર્શન આપ્યું.