મોરબી મનપાની બેદરકારી
મોરબી મનપાની બેદરકારી
Published on: 01st September, 2026

મોરબી મનપા દ્વારા તાજેતરમાં બે બિનજરૂરી ટોયલેટ તોડી પાડવામાં આવ્યા, પરંતુ શહેરમાં અનેક જોખમી ઇમારતો અસ્તિત્વ ધરાવે છે. ગ્રીન ચોક નજીક મહેન્દ્ર ડ્રાઇવ પુલ પાસે વર્ષોથી જર્જરિત મકાનો પડુ પડુ સ્થિતિમાં છે. સ્થાનિકો દ્વારા અનેક વખત મનપાને રજૂઆત કરાઈ હોવા છતાં, અધિકારીઓ કાર્યવાહી કરવાને બદલે માત્ર આશ્વાસન આપી રહ્યા છે. જોખમી ઇમારતો પર તાત્કાલિક પગલાં લેવાય તેવી લોકોની માંગ છે, નહીંતર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે.