અમરેલીમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક પર સંકટ!
અમરેલીમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક પર સંકટ!
Published on: 02nd September, 2026

ધારી અને લાઠી તાલુકામાં ખેતી મુખ્ય આધાર છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ ખેડૂતોએ મગફળી, કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું. પરંતુ વાવણી બાદ વરસાદ લાંબો સમય ખેંચાતા પાકને પૂરતું પાણી મળતું નથી. અનેક ખેતરોમાં ઊભેલા પાક સુકાઈ રહ્યા છે, જેના કારણે મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ પાણીમાં જવાની ભીતિ છે. વરસાદ આધારિત ખેડૂતોની સ્થિતિ અત્યંત કપરી બની છે. તેઓ મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે, જેથી બાકી રહેલો પાક બચી શકે. હાલ ખેતીવાડી વિભાગ પાકની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.