સ્વામીજીને રૃમમાં પુરી, તસ્કરો રૃા. ૪૦ હજાર રોકડ લઈ પલાયન
સ્વામીજીને રૃમમાં પુરી, તસ્કરો રૃા. ૪૦ હજાર રોકડ લઈ પલાયન
Published on: 02nd September, 2026

બોટાદના સ્વામીનારાયણ મંદિરમાં તસ્કરોએ ચોરીની સનસનાટીભરી ઘટનાને અંજામ આપ્યો. અજાણ્યા તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા અને ત્યાં રોકાયેલા કેવલ્યસ્વરૃપ સ્વામીજીને તેમના રૃમમાં બંધ કરી દીધા. ત્યારબાદ, રસોઈનું કામ કરતા અંકિત મહારાજના રૃમમાંથી રૃા. ૪૦,૦૦૦ની રોકડ ચોરી કરી પલાયન થઈ ગયા. ચોરોએ દાનપેટી તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો. સ્વામીજીએ પાડોશીની મદદથી બહાર આવી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય સુરાગના આધારે તપાસ હાથ ધરી છે.