સુરત: કતારગામ TP સ્કીમ વિવાદમાં, રિઝર્વેશન હટાવવા 1 લાખ લોકો PM મોદીને પોસ્ટકાર્ડ લખશે.
સુરત: કતારગામ TP સ્કીમ વિવાદમાં, રિઝર્વેશન હટાવવા 1 લાખ લોકો PM મોદીને પોસ્ટકાર્ડ લખશે.
Published on: 19th February, 2026

સુરતના કતારગામની TP સ્કીમ 49, 50, 51માં રિઝર્વેશનથી પરેશાન હજારો પરિવારો માટે સ્થાનિકોએ ગાંધીમાર્ગે આંદોલન શરૂ કર્યું છે. 28 ફેબ્રુઆરીએ હનુમાન ચાલીસા પાઠ, 1-2 માર્ચે ઉપવાસ, 3 માર્ચે અહંકારની હોળી અને 5 માર્ચે 1 લાખ પીડિતો PM મોદીને પોસ્ટકાર્ડ લખશે. રિઝર્વેશનથી લોકો મિલકતોનો ઉપયોગ કરી શકતા નથી, લોન મળતી નથી, અને તંત્રના ખોટા આશ્વાસનોથી કંટાળીને આ પગલું લેવાયું છે. અધિકારીઓના અહંકારથી લોકો પીડાઈ રહ્યા છે.