પેટ દર્દની સારવાર દરમિયાન 30 વર્ષીય યુવાનનું નિધન
પેટ દર્દની સારવાર દરમિયાન 30 વર્ષીય યુવાનનું નિધન
Published on: 05th September, 2026

જામનગરમાં પેટમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર હેઠળ રહેલા 30 વર્ષીય સંજયસિંહ ભીખુભા ચુડાસમાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શરૂઆતમાં G.G. Hospital અને બાદમાં સમર્પણ Hospitalમાં સારવાર બાદ તેમને ફરી G.G. Hospitalમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસે B.N.S.S. કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.