જામનગર ઇન્ડિયન બેન્કની તિજોરીમાંથી રૂ.39.48 લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ
જામનગર ઇન્ડિયન બેન્કની તિજોરીમાંથી રૂ.39.48 લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ
Published on: 05th September, 2026

જામનગરની રણજીતસાગર રોડ સ્થિત ઇન્ડિયન બેન્કમાંથી રૂ.39.48 લાખના સોનાના દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો છે. બેન્કના પટાવાળા હસમુખભાઈ પારિયાએ પોતાની મિત્ર વિજયભાઈ વઘોરાને વેચવા માટે તિજોરીમાંથી અસલ સોનાના દાગીના કાઢી ડુપ્લિકેટ મૂકી દીધા હતા. આ ચાર ગ્રાહકોના કુલ 342.1 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમના ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાથમિક તપાસમાં શેરબજારના સટ્ટામાં નુકસાનને કારણે આ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.