ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાએ ૧૯ વર્ષમાં ૧૯ લાખથી વધુ જીવ બચાવ્યા
ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાએ ૧૯ વર્ષમાં ૧૯ લાખથી વધુ જીવ બચાવ્યા
Published on: 02nd September, 2026

ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાએ 19 વર્ષમાં 1.99 કરોડથી વધુ ઇમરજન્સી કેસોને સફળતાપૂર્વક પ્રતિસાદ આપીને 19 લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. આ સેવા મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીમાં 24 કલાક અવિરત સેવા પૂરી પાડે છે. અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં પણ 108 સેવાનો સિંહફાળો રહ્યો છે, જેમાં 62 લાખથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં મદદ પહોંચાડવામાં આવી છે.