જન્માષ્ટમીએ ગાંધીનગર-દ્વારકા વચ્ચે સ્પેશિયલ ટ્રેન
જન્માષ્ટમીએ ગાંધીનગર-દ્વારકા વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Published on: 02nd September, 2026

જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર દ્વારકાધામમાં દર્શન કરવા જતા ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે 3 દિવસ માટે ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09521/09522, 3, 4 અને 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન બંને દિશામાં ચાલશે, કુલ 6 ફેરા સાથે. આ અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન રિઝર્વેશન વગર સરળ મુસાફરીની સુવિધા આપશે, જે અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાંથી જતા ભક્તો માટે ઉત્તમ વિકલ્પ બનશે.