રંગભેદ સહન કર્યો, અભિનેત્રીએ કર્યો ખુલાસો, ઓડિશન પણ ન મળ્યું.
અભિનેત્રી ઉલ્કા ગુપ્તાએ ઇન્ડસ્ટ્રીમાં રંગભેદનો અનુભવ કહ્યો. 'માત્ર ગોરા બાળકો' નોટિસ અને ઓડિશન ન મળવા જેવી બાબતોનો સામનો કર્યો. 29 વર્ષની ઉલ્કા ગુપ્તાએ કહ્યું, પહેલાં જ્યારે મેકર્સ બાળ કલાકારોને કાસ્ટ કરતા હતા અને હું અનેક પાત્રો માટે ઓડિશન આપવા જતી હતી. ત્યારે બહાર એક નોટ લગાડેલી હતી, જેમાં લખ્યું હતું કે, ‘ફક્ત ગોરા બાળકો’એ જ ઓડિશન આપવું.’
રંગભેદ સહન કર્યો, અભિનેત્રીએ કર્યો ખુલાસો, ઓડિશન પણ ન મળ્યું.
એક સમયે કરોડોની સંપત્તિ છતાં અંતિમયાત્રામાં માત્ર 8 લોકો!
1950ના દાયકાના સુપરસ્ટાર ભારત ભૂષણ, જેમણે 'બૈજુ બાવરા' અને 'મિર્ઝા ગાલિબ' જેવી ફિલ્મો આપી, તેઓ એક સમયે અઢળક સંપત્તિના માલિક હતા. પરંતુ ખોટા નાણાકીય નિર્ણયો અને ફિલ્મ પ્રોડક્શનમાં થયેલા ભારે નુકસાનને કારણે તેમણે બધું જ ગુમાવ્યું. પોતાની આજીવન કમાણી ગુમાવી, તેમણે કાર અને બંગલા વેચવા પડ્યા. અંતે, તેમણે મલાડમાં એક ફ્લેટમાં આશ્રય લીધો. તેમની અંતિમયાત્રામાં માત્ર 8 લોકો હાજર રહ્યા હતા, જે બોલિવૂડના ઉતાર-ચઢાવની કરુણ કહાની દર્શાવે છે.
એક સમયે કરોડોની સંપત્તિ છતાં અંતિમયાત્રામાં માત્ર 8 લોકો!
Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ!
Drishyam 3 રિલીઝ થતાં જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોહનલાલ ખુદ થિયેટરમાં ‘ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો’ જોવા પહોંચ્યા હતા, જ્યાં દર્શકોના જબરદસ્ત પ્રતિભાવ જોઈ તેઓ ભાવુક બની ગયા હતા. વાયરલ વીડિયોમાં તેઓ આંસુ લૂછતા અને ચાહકોનો આભાર માનતા જોવા મળે છે. ફિલ્મમાં જ્યોર્જકુટ્ટી અને તેના પરિવારની નવી સંઘર્ષભરી કહાની દર્શાવવામાં આવી છે. મિશ્ર રિવ્યૂ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે અને પહેલા જ દિવસે વિશ્વભરમાં કરોડોની કમાણી નોંધાવી છે.
Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ!
લાલા અમરનાથની બાયોપિકમાં એક રોલ માટે ફરહાનને ઓફર.
ભારતના લિજન્ડરી ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિકમાં ફરહાન અખ્તરને એક મહત્વની ભૂમિકા ઓફર કરાઈ હોવાનું કહેવાય છે. લાલા અમરનાથના એક નિકવટર્તી મિત્રની ભૂમિકા માટે ફરહાન સાથે વાત ચાલી રહી હોવાનો દાવો થઈ રહ્યો છે. આમિર ખાન અને આશુતોષ ગોવરિકર 'લગાન' પછી પહેલીવાર આ ફિલ્મ માટે કોલબરેટ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકુમાર હિરાણી પણ આ પ્રોજેક્ટમાં સહનિર્માતા તરીકે જોડાઈ રહ્યા હોવાનું કહેવાય છે. હજુ આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ મોટાભાગે આગામી ઓક્ટોબર માસથી શરુ થાય તેવા પ્રયાસો નિર્માતાઓ કરી રહ્યા છે.
લાલા અમરનાથની બાયોપિકમાં એક રોલ માટે ફરહાનને ઓફર.
12 વર્ષે ઝડપાયો બોલિવૂડ એક્ટર, હત્યાનો ફરાર કેદી, વકીલ અને પત્રકાર પણ હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2005ના હત્યા કેસમાં 12 વર્ષથી ફરાર આરોપી હેમંત મોદીને ઝડપી પાડ્યો. પેરોલ પરથી ભાગ્યા બાદ તેણે મુંબઈમાં નવું નામ ધારણ કરી બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું. હત્યા પહેલા વકીલ, જેલમાંથી જજની પરીક્ષા અને પેરોલ પરથી ભાગ્યા બાદ પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. પોલીસે તેની અસલી ઓળખ શારીરિક નિશાનીઓ દ્વારા જાહેર કરી.
12 વર્ષે ઝડપાયો બોલિવૂડ એક્ટર, હત્યાનો ફરાર કેદી, વકીલ અને પત્રકાર પણ હતો.
તારા સુતરિયા-વીર પહાડિયાના બ્રેકઅપ માટે એક 'કિસ' કારણભૂત.
વાત ૨૦૨૫ના ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની છે. બોલિવુડનું એક બહુચર્ચિત પ્રેમી યુગલ મુંબઈમાં યોજાયેલા વર્લ્ડ ફેમસ કેનેડિયન સિંગર એ. પી. ધિલ્લનના કોન્સર્ટમાં હોંશેહોંશે હાજરી આપવા ગયું હતું. પરંતુ કોન્સર્ટ પૂરો થયા બાદ કપલમાંથી યુવાન રાતે એકલો પોતાના પાલી હીલના પોશ અપાર્ટમેન્ટમાં પાછો ફર્યો. એ અક્ષય કુમારની ફિલ્મ 'સ્કાય ફોર્સ'માં એક્ટર તરીકે ડેબ્યુ કરનાર વીર પહાડિયા હતો.
તારા સુતરિયા-વીર પહાડિયાના બ્રેકઅપ માટે એક 'કિસ' કારણભૂત.
મૃણાલ ઠાકુર માટે ક્વોન્ટિટી નહિ, ક્વોલિટી વધુ મહત્ત્વની
મૃણાલ ઠાકુર, "હું ક્યારેક વરસમાં એક જ ફિલ્મ કરવાનું પસંદ કરું છું. હું માત્ર બોલિવુડમાં નહિ, બધી જ ભાષાના સિનેમા માટે આ જ નિયમ રાખું છું. મારા માટે દર્શકો પણ એક અપ્રત્યક્ષ પ્રાયોરિટી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મૂવીજની રિલિઝ ડેટ માટે મારામારી ચાલી રહી છે. એટલી બધી ફિલ્મો બને છે કે એમને રિલિઝ ડેટના વાંધા પડે છે."
મૃણાલ ઠાકુર માટે ક્વોન્ટિટી નહિ, ક્વોલિટી વધુ મહત્ત્વની
ગોવિંદાના કાર્યક્રમમાં બબાલ, મેનેજરે માફીના અહેવાલો નકાર્યા.
બોલિવૂડ અભિનેતા ગોવિંદા મુંબઈની એક ઇવેન્ટમાં વિવાદમાં ફસાયા. સિક્યોરિટી ટીમ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ઝપાઝપી થઈ. મીડિયા રિપોર્ટ્સમાં ગોવિંદાએ માફી માગી હોવાનો દાવો થયો, પરંતુ તેમના મેનેજર શશિ સિંહાએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા. તેમણે જણાવ્યું કે ગોવિંદાની કોઈ ભૂલ નહોતી અને સિક્યોરિટી સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યો હતો.
ગોવિંદાના કાર્યક્રમમાં બબાલ, મેનેજરે માફીના અહેવાલો નકાર્યા.
સલમાન ખાનનો ફોટોગ્રાફર્સ પર ગુસ્સો: 'લડવાનું ભૂલ્યો નથી!'
હિન્દુજા હોસ્પિટલ બહાર મીડિયાના વર્તનથી નારાજ સલમાન ખાને સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો. તેણે કહ્યું કે કોઈના દુઃખનો ઉપયોગ પૈસા કમાવવા માટે ન કરવો જોઈએ. સલમાને ચેતવણી આપી કે તે ૬૦ વર્ષનો હોવા છતાં લડવાનું ભૂલ્યો નથી. આ ઘટના બાદ તેની આગામી ફિલ્મ 'માતૃભૂમિ' અંગે પણ ચર્ચા થઈ.
સલમાન ખાનનો ફોટોગ્રાફર્સ પર ગુસ્સો: 'લડવાનું ભૂલ્યો નથી!'
હવે ગોવિંદાને પુત્રી સાથે થયો વિવાદ!
ગોવિંદા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પત્ની સુનિતા આહુજા સાથેના અંગત વિવાદો વચ્ચે ગોવિંદા પોતાની દીકરી ટીનાના રિયાલીટી શો ‘માં હૈ ના’ને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. જોકે, શો દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવા વિવાદે જન્મ લીધો છે. વીડિયોમાં ગોવિંદાના દીકરી સાથેના વર્તનને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ફિલ્મ સેટ પર મોડા પહોંચવા અને વિવાદોને કારણે જાણીતા ગોવિંદાની આ હરકતે ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
હવે ગોવિંદાને પુત્રી સાથે થયો વિવાદ!
અનુપમ ખેર આલિયા ભટ્ટના બચાવમાં, ટ્રોલર્સ પર વરસ્યા.
કાન્સમાં હાજરી બાદ આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે અનુપમ ખેરે જાહેરમાં આલિયાનું સમર્થન કર્યું છે. અનુપમ ખેરે કહ્યું કે આલિયાની ટીકા કરનારાઓ પર તેમને ગુસ્સો નહીં પરંતુ દયા આવે છે. તેમના મુજબ કેટલાક લોકો પાસે જીવનમાં ખાસ કંઈ કામ ન હોવાથી તેઓ જાણીતી વ્યક્તિઓની ટીકા કરીને માત્ર લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. તેમણે આવા ટ્રોલર્સને “નકામા લોકો” ગણાવી આલિયાના સમર્થનમાં મજબૂત નિવેદન આપ્યું.
અનુપમ ખેર આલિયા ભટ્ટના બચાવમાં, ટ્રોલર્સ પર વરસ્યા.
એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે જોની લીવર!
જોની લીવર ટૂંક સમયમાં એક મોટી કોમેડી ફિલ્મમાં લીડ હીરો તરીકે જોવા મળશે, જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર કેમિયો રોલમાં દેખાશે. ડિરેક્ટર ફરહાદ સામજીની આ ફિલ્મનું ટાઇટલ હજુ સત્તાવાર જાહેર થયું નથી, જોકે ‘ઓપરેશન ઓપરેશન’ નામ ચર્ચામાં છે. અહેવાલો મુજબ શાહરૂખ ફિલ્મના શરૂઆતના સીનમાં જોવા મળશે અને જૂનમાં પોતાનું શૂટિંગ પૂર્ણ કરશે. જોની લીવર અને શાહરૂખ વચ્ચે ત્રણ દાયકાથી ગાઢ મિત્રતા હોવાથી આ સહકાર ખાસ માનવામાં આવી રહ્યો છે.
એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે જોની લીવર!
ઉત્તરાખંડના કાનાતાલમાં દેવદારનાં જંગલો અને બર્ફીલાં શિખરોનો શાંત અનુભવ.
ઉત્તરાખંડમાં મસૂરી નજીક આવેલું કાનાતાલ, હિમાલયની શાંતિ અને કુદરતી સૌંદર્યનો ખજાનો છે. 8500 ફૂટની ઊંચાઈ પર, આ ગામ દેવદારનાં જંગલો, સફરજનના બગીચાઓ અને બરફીલાં શિખરોથી ઘેરાયેલું છે. સુરકંડા દેવી મંદિર, કૌડિયા ફોરેસ્ટ અને તેહરી ડેમ જેવા સ્થળો પ્રકૃતિપ્રેમીઓ અને સાહસિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં એડવેન્ચર કેમ્પિંગ અને શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ અવિસ્મરણીય છે.
ઉત્તરાખંડના કાનાતાલમાં દેવદારનાં જંગલો અને બર્ફીલાં શિખરોનો શાંત અનુભવ.
પરવાળાના ખડકોમાં પ્રાણ ફૂંકતું સંગીત.
જમૈકાના ઉત્તરીય કિનારે, જ્યાં જેમ્સ બોન્ડની ફિલ્મ શૂટ થઈ હતી, ત્યાં પરવાળાના ખડકોને બચાવવા મ્યુઝિકનો ઉપયોગ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો અને કલાકારો 'અંડરવોટર બૂમબોક્સ' દ્વારા તંદુરસ્ત રીફના અવાજો વગાડી રહ્યા છે, જેથી મૃત્યુ પામી રહેલા કોરલ રીફ્સમાં ફરી પ્રાણ ફૂંકી શકાય. આ 'એકોસ્ટિક એનરિચમેન્ટ' પ્રયોગ માછલીઓ અને લાર્વાને આકર્ષે છે, જે ખડકોના પુનર્જીવનમાં મદદ કરે છે.
પરવાળાના ખડકોમાં પ્રાણ ફૂંકતું સંગીત.
ફેમસ સિંગર ઇન્દર કૌરની અપહરણ બાદ હત્યા.
ઇન્દર કૌર ઉર્ફે યશઇન્દર કૌરની હત્યાના મામલે પંજાબમાં ચકચાર મચી ગઈ છે. સોમવારે તેની લાશ નીલો નહેરમાંથી મળી આવી હતી. માહિતી મુજબ લગભગ છ દિવસ પહેલા બંદૂકની અણીએ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. પરિવારના આક્ષેપ મુજબ મોગાના એક યુવક દ્વારા ઇન્દર પર જબરદસ્તી લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. ઇન્દરે ઇનકાર કરતાં આરોપીએ અપહરણ કરી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પરિવારનો દાવો છે કે આરોપી કેનેડાથી નેપાળ મારફતે પંજાબ આવ્યો અને ગુનો આચરી ફરી કેનેડા ભાગી ગયો.
ફેમસ સિંગર ઇન્દર કૌરની અપહરણ બાદ હત્યા.
અભિનેત્રી નેહલના દાવા પર અભિનેતા કરણ જોષીનો ખુલાસો!
ગુજરાતી ફિલ્મ લાલોને લઈને અભિનેત્રી નેહલ વડોલિયા અને અભિનેતા કરણ જોષી વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. નેહલે કરણ જોષી પર ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલવાના આરોપ લગાવ્યા હતા, જ્યારે કરણે દાવો કર્યો કે પાંચ મહિના પહેલા તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હતું. કરણ મુજબ હેકિંગ દરમિયાન અનેક લોકોને આવા મેસેજ મોકલાયા હતા. બીજી તરફ નેહલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું કે મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો છે.
અભિનેત્રી નેહલના દાવા પર અભિનેતા કરણ જોષીનો ખુલાસો!
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાપ, સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ.
સલમાન ખાનના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સોમવારે એક ધામણ સાપ દેખાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પાર્કિંગ વિસ્તારમાં શટર નજીક સાપ જોવા મળતાં સુરક્ષા કર્મચારીઓએ તરત જ કાર્યવાહી કરી અને સ્થાનિક સ્નેક રેસ્ક્યુર વિકી દુબેને જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમે શાંતિપૂર્ણ રીતે સાપને કાબૂમાં લઈને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. પકડાયેલો સાપ ઇન્ડિયન રેટ સ્નેક તરીકે ઓળખાય છે, જે બિનઝેરી હોય છે અને સામાન્ય રીતે ઉંદરો ખાય છે. આ ઘટના બાદ એપાર્ટમેન્ટમાં થોડો સમય ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાપ, સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ.
iPhone યુઝર્સ માટે મોટા સમાચાર!
Apple પોતાના આગામી iOS 27 અપડેટમાં અનેક નવા AI આધારિત ફીચર્સ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ કંપની યુઝર્સને વધુ સ્માર્ટ અને પર્સનલાઇઝ્ડ અનુભવ આપવા પર ભાર મૂકી રહી છે. કેટલાક ફીચર્સમાં Googleના Gemini AI મોડલ્સની ટેક્નોલોજીનો પણ ઉપયોગ થઈ શકે છે. iOS 27માં “Write with Siri” નામનું ફીચર મળશે, જે ટાઇપિંગ દરમિયાન ગ્રામર સુધારવા અને સેન્ટન્સ સૂચવવામાં મદદ કરશે. સાથે “Help Me Write” ફીચર પણ ટેક્સ્ટ લખવાનું વધુ સરળ બનાવશે. Apple યુઝર્સને પોતાનું પસંદગીનું AI મોડલ પસંદ કરવાની સ્વતંત્રતા પણ આપશે.
iPhone યુઝર્સ માટે મોટા સમાચાર!
સલમાન ખાનના shirtless ફોટો પર એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટ!
સલમાન ખાનના નવા shirtless લૂકે સૌને ચોંકાવી દીધા. તેની ફિટનેસ જોઈ ફેન્સ અને તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની પણ ફિદા થઈ. સંગીતાએ "Uff!" લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી, જેનાથી જૂના સંબંધોની યાદ તાજી થઈ. સલમાને "Alone" અને "Lonely" વચ્ચેનો ફરક સમજાવ્યો, પણ કહ્યું કે તે ક્યારેય lonely નથી કારણ કે તેની પાસે family, friends અને fans છે. 60ની ઉંમરે પણ તેની ફિટનેસ પ્રશંસનીય છે.
સલમાન ખાનના shirtless ફોટો પર એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટ!
ભજન જેમિંગ: નવી પેઢીની ભક્તિની નવી વ્યાખ્યા.
'ભજન જેમિંગ' એ 18-35 વર્ષના યુવાનોમાં લોકપ્રિય બની રહ્યું છે, જ્યાં તેઓ પરંપરાગત ભજનો ગાય છે અને નૃત્ય કરે છે. આ નવી પેઢી ધર્મની નવી ફિલોસોફી અપનાવી રહી છે, જ્યાં કર્મકાંડને બદલે 'શબદની આરાધના' પર ભાર મૂકવામાં આવે છે. આ ભજનો જીવનની સરળ સમજ અને ઈશ્વર વિશેની ઊંડી ફિલોસોફી સમજાવે છે, જે ઘણીવાર સંસ્કૃત શાસ્ત્રોના અધ્યયનથી પણ અઘરી હોય છે. ગોરખનાથ, કબીર, મીરાંબાઈ, નરસિંહ મહેતા જેવા અનેક સંતોની ભજનવાણી આજના યુવાનોમાં ફરી જીવંત થઈ રહી છે.
ભજન જેમિંગ: નવી પેઢીની ભક્તિની નવી વ્યાખ્યા.
ખાદી અને કોટનમાં ફ્લોરલ ડીઝાઈનનો જાદુ.
ઉનાળામાં ‘ખાદી’ અને ‘કોટન’ શ્રેષ્ઠ છે. ખાદી હવે ગ્લોબલ ફેશન પર છવાઈ છે, જે મલમલ જેવી નરમ અને આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. કોટનમાં ‘ફ્લોરલ’, ‘બ્લોક પ્રિન્ટ’ જેવા ભારતીય કળાનો ઉપયોગ થાય છે. આધુનિક ડિઝાઈન્સ જેમ કે ‘ઓફ-શોલ્ડર’ ટોપ્સ, ‘પેપલમ’ કુર્તી, ‘કોટન કો-ઓર્ડ સેટ્સ’ ટ્રેન્ડમાં છે. ‘ન્યૂડ મેકઅપ’, ‘વુડન જ્વેલરી’ સાથે ‘ઇકો-ફ્રેન્ડલી’ ફેશન અપનાવો.
ખાદી અને કોટનમાં ફ્લોરલ ડીઝાઈનનો જાદુ.
ઈરાનમાં 134 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર, અમિતાભે શેર કર્યો દુર્લભ વીડિયો.
અમિતાભ બચ્ચન ફરી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં આવેલા 134 વર્ષ જૂના પ્રાચીન વિષ્ણુ મંદિરનો વીડિયો શેર કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષ 1892માં કાજાર યુગ દરમિયાન બનેલું આ મંદિર ત્યાં વેપાર કરતા ભારતીય હિંદુ વેપારીઓ માટે બનાવાયું હતું. વીડિયોમાં પર્શિયન ભાષામાં ભજન પણ સાંભળવા મળે છે. અમિતાભની આ પોસ્ટ બાદ ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર તેજ બની ગઈ છે.
ઈરાનમાં 134 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર, અમિતાભે શેર કર્યો દુર્લભ વીડિયો.
એક જ ફિલ્મમાં 3 અવતાર" ક્રિકેટ, કુશ્તી અને રેસ!
પેડ્ડીનું ટ્રેલર રિલીઝ થતાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર બુચ્ચી બાબુ સાના દ્વારા નિર્દેશિત આ સ્પોર્ટ્સ એક્શન ડ્રામામાં રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં ગામડાની પૃષ્ઠભૂમિ, રમત પ્રત્યેનો જુસ્સો અને જબરદસ્ત એક્શન દર્શાવવામાં આવ્યા છે. રામ ચરણ ક્રિકેટ, કુશ્તી અને દોડમાં નિષ્ણાત યુવાન ‘પેડ્ડી’ના પાત્રમાં જોવા મળે છે. જાહ્નવી કપૂર સહિત અનેક જાણીતા કલાકારો ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આશરે ₹300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 4 જૂને વિશ્વભરમાં રિલીઝ થશે.
એક જ ફિલ્મમાં 3 અવતાર" ક્રિકેટ, કુશ્તી અને રેસ!
મિત્રોને બદનામ કરવાનું બંધ કરો, સૂરજ નામ્બિયાર રોષે ભરાયો.
અભિનેત્રી મોની રોય અને તેમના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે સૂરજે સત્તાવાર નિવેદન આપી તમામ અફવાઓ ફગાવી દીધી છે. તેમણે ભરણપોષણ, ઝઘડા અથવા ત્રીજી વ્યક્તિની સંડોવણીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. સૂરજે જણાવ્યું કે બંનેએ પરસ્પર સન્માન અને સમજદારીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે મીડિયા અને લોકોને તેમની પ્રાઇવસીનું સન્માન કરવા તેમજ નિર્દોષ મિત્રોને આ વિવાદમાં ન ખેંચવા અપીલ કરી હતી. મૌની અને સૂરજના લગ્ન વર્ષ 2022માં ગોવામાં ધામધૂમથી થયા હતા.
મિત્રોને બદનામ કરવાનું બંધ કરો, સૂરજ નામ્બિયાર રોષે ભરાયો.
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
ડેનિયલ ક્રેગના સ્થાને નવા જેમ્સ બોન્ડની શોધ શરુ થઈ છે. નિર્માતા એમેઝોન એમજીએમએ આ કામ કાસ્ટિંગ ડાયરેક્ટર નીના ગોલ્ડને સોંપ્યું છે. તે સાથે જ સમગ્ર મનોરંજન વિશ્વમાં આગામી બોન્ડ કોણ હશે તેની અટકળો ચાલુ થઈ છે. બીજી તરફ પીઢ ભારતીય ફિલ્મ સર્જક શેખર કપૂરે એવો મત વ્યક્ત કર્યો છે કે ભારતીય અભિનેતા જોન અબ્રામમ નવા બોન્ડ તરીકે ફિટ બેસે તેમ છે. ઉલ્લેખનીય છે કે શેખર કપૂરનાં દિગ્દર્શન હેઠળ બનેલી ૧૯૯૮ની ફિલ્મ 'એલિઝાબેથ'માં ડેનિયલ ક્રેગનું પરફોર્મન્સ વખણાયા બાદ જ ડેનિયલ ક્રેગને નવા બોન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
તિલક વર્મા અને અભિનેત્રી શ્રીલીલાના ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં આવી છે. સૂર્યકુમાર યાદવના મજાકિયા વીડિયોએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. અગાઉ શ્રીલીલાની માતા મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળતા અને સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓ થતા અફવાઓ શરૂ થઈ હતી. જોકે શ્રીલીલાની ટીમે સ્પષ્ટતા કરી છે કે બંને ક્યારેય મળ્યા પણ નથી અને આ તમામ ચર્ચાઓ પાયાવિહોણી છે. હાલ બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
હમીરસર વોકવે: ભુજવાસીઓનો મનપસંદ સ્થળ, પણ બાંકડા અને સુવિધાઓની કમી.
ભુજના હમીરસર વોકવેમાં ઠંડી હવાનો આનંદ માણવા હજારો લોકો ઉમટી રહ્યા છે. રાત્રે અંદાજે 1500 ટુ-વ્હીલર અને 100 ફોર-વ્હીલર પાર્ક થાય છે. પણ, બેસવા માટે અપૂરતા બાંકડા, બંધ લાઈટો, પાણીની પરબનો અભાવ, અને ડોમમાં સુવિધાઓની કમીને કારણે લોકોને મુશ્કેલી પડે છે. કરદાતા નાગરિકો સુવિધાઓ સુધારવાની માંગ કરી રહ્યા છે.
હમીરસર વોકવે: ભુજવાસીઓનો મનપસંદ સ્થળ, પણ બાંકડા અને સુવિધાઓની કમી.
ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’.
અસહ્ય ગરમીથી રાહત મેળવવા રાજપીપળા પાસેનું 'ધોબીશાલ' સ્થળ પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. કરજણ નદીના ઠંડા પાણીમાં સ્નાન અને સુંદર નજારાનો આનંદ માણવા લોકો ઉમટી રહ્યા છે. ધોબીશાલના કાંઠે સાંજના પાંચ વાગ્યા પછી જામતી ભીડને કારણે અહીં સ્થાનિક રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે.
ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’.
સાઉથ સિનેમાની કઈ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે તિલક વર્મા?
મુંબઈ ઈન્ડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્મા ફરી અંગત જીંદગીને લઈને ચર્ચામાં છે. સૂર્યકુમાર યાદવના 'in love' કહેતા વીડિયો બાદ તેલુગુ અભિનેત્રી શ્રીલીલા સાથે ડેટિંગની અફવાઓ તેજ થઈ છે. અગાઉ તિરુમાલા મંદિર અને IPL મેચ વખતે બંનેની હાજરીએ ચર્ચા જગાવી હતી. જોકે, બંનેએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.