પાલનપુરમાં ગણપતિ મહોત્સવમાં ત્રણ પેઢી એક મંચ પર
પાલનપુરમાં ગણપતિ મહોત્સવમાં ત્રણ પેઢી એક મંચ પર
Published on: 18th September, 2026

પાલનપુરના તિરૂપતિ રાજનગર સોસાયટી પરિવાર દ્વારા ગણપતિ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ, પરિવાર એકતા અને બાળ સંસ્કારનો અનોખો સમન્વય કરાયો. આ ઉજવણીમાં ત્રણ પેઢીના સભ્યો એક મંચ પર આવી ઉત્સાહભેર જોડાયા. બાળકોને મોબાઈલથી દૂર લાવી ભારતીય પરંપરા અને જુની રમતો જેવી કે લીંબુ-ચમચી, સંગીત ખુરશી, રસ્સાખેંચ સાથે જોડવાનો પ્રયાસ કરાયો. આ રમતોમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો. આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં સંસ્કાર સિંચન, પરિવારજનો સાથે સમય વિતાવવો અને જૂની રમતોનું જતન કરવાનો છે.