જૂનાગઢ મહાશિવરાત્રી મેળો હવે ગિરનાર દરવાજાથી શરૂ થશે; લાઈટિંગ, સેલ્ફી પોઈન્ટ અને પાર્કિંગની વ્યવસ્થા કરાશે.
જૂનાગઢ મહાશિવરાત્રી મેળો હવે ગિરનાર દરવાજાથી શરૂ થશે; લાઈટિંગ, સેલ્ફી પોઈન્ટ અને પાર્કિંગની વ્યવસ્થા કરાશે.
Published on: 01st February, 2026

જૂનાગઢમાં 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મેળાની શરૂઆત ગિરનાર દરવાજાથી થશે અને રવેડીનો રૂટ 2 કિ.મી.નો રહેશે. લાઈટિંગ, સેલ્ફી પોઈન્ટ અને 25 પાર્કિંગ સ્થળો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. 2900થી 3000 પોલીસ જવાનો તૈનાત રહેશે. 11મી તારીખે સાધુ સંતોના નગર પ્રવેશનો કાર્યક્રમ યોજાશે. પ્લાસ્ટિક મુક્ત મેળા માટે વિશેષ સમિતિ નિયમિત ચેકિંગ કરશે.