તક્ષશિલા વિદ્યાલયમાં ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી
તક્ષશિલા વિદ્યાલયમાં ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી
Published on: 08th September, 2026

અંકલેશ્વરની નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વાતાવરણને કૃષ્ણમય બનાવ્યું. બાળ ભવનથી ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. બાળકોએ મનમોહક વેશભૂષા ધારણ કરી, શ્લોક પઠન અને બાળલીલાઓ પર આધારિત નૃત્ય રજૂ કર્યા. આ પ્રસંગે બ્રહ્મકુમારીઝના નીમા કુમારી, શાળા પ્રમુખ ગુમાનભાઈ પટેલ અને ચેરમેન વિમલભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા.