IRCTC દ્વારા 'સપ્ત જ્યોતિર્લિંગ મહાયાત્રા'નું આયોજન!
IRCTC દ્વારા 'સપ્ત જ્યોતિર્લિંગ મહાયાત્રા'નું આયોજન!
Published on: 07th August, 2026

IRCTC દ્વારા 'ભારત ગૌરવ ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેન' પર 'સપ્ત જ્યોતિર્લિંગ મહાયાત્રા' નામનું નવું આધ્યાત્મિક ટૂરિઝમ પેકેજ શરૂ કરાયું છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થઈને મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 7 પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરાવશે. તેમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ગુજરાતના નાગેશ્વર, સોમનાથ, અને મહારાષ્ટ્રના ભીમાશંકર, ઘૃષ્ણેશ્વર, તથા ત્ર્યંબકેશ્વરનો સમાવેશ થાય છે. ટ્રેનમાં AC કેબિન, રેસ્ટોરન્ટ, સુરક્ષા અને ટૂર મેનેજરની સુવિધાઓ છે. AC I, II, III કેબિનવાળી આ ટ્રેનનું ભાડું ₹90,930 થી શરૂ થાય છે.