હિંમતનગરના અભિનેતા મનોજ જોષી
હિંમતનગરના અભિનેતા મનોજ જોષી
Published on: 10th September, 2026

હિંમતનગરના જાણીતા અભિનેતા મનોજ જોષી, જેમણે 'ફિર હેરા ફેરી'માં 'કચરા સેઠ' તરીકે દર્શકોના દિલ જીતી લીધા, તેમનો જન્મ 14 ડિસેમ્બર, 1965ના રોજ થયો હતો. ફિલ્મ, રંગમંચ અને ટેલિવિઝનમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મનોજ જોષીને 2018માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમણે મરાઠી, ગુજરાતી અને હિન્દી થિયેટરમાં કારકિર્દી શરૂ કરી અને 'સરફરોશ' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. મનોજ જોષીએ 'ચાણક્ય' જેવી ટીવી સીરિયલોમાં પણ અભિનય કર્યો છે.