પ્રખ્યાત શાયર ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે નિધન.
પ્રખ્યાત શાયર ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે નિધન.
Published on: 28th May, 2026

ઉર્દૂ શાયરીના અગ્રણી ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની ઉંમરે ભોપાલમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી ડિમેન્શિયા (યાદશક્તિ ગુમાવવાની બીમારી) થી પીડાતા હતા. તેમની અચાનક વિદાયથી સાહિત્ય જગત અને તેમના ચાહકોમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે. અયોધ્યામાં જન્મેલા ડૉ. બશીર બદ્ર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા હતા અને તેમને ‘પદ્મશ્રી’ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમની સરળ ભાષાની શાયરી સામાન્ય લોકોના દિલ સુધી પહોંચી.