અમદાવાદ-જોધપુર ટ્રેન રદ, અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર!
અમદાવાદ-જોધપુર ટ્રેન રદ, અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર!
Published on: 28th May, 2026

ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કામ માટે ટ્રાફિક બ્લોક લેવાતા અનેક ટ્રેનો રદ કરાઈ છે, માર્ગ બદલાયો છે અને સમયપત્રક પણ બદલાયા છે. 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 28-29 મે અને 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 29-30 મે ના રોજ રદ રહેશે. કેટલીક ટ્રેનો લૂણી-ભીલડી-મહેસાણા રૂટ પરથી દોડશે, જેના કારણે પાલનપુર, આબુરોડ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ નહીં મળે. 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ 29 મેના રોજ મોડી ઉપડશે. મુસાફરી કરતા પહેલા ટ્રેનની સ્થિતિ ચોક્કસ તપાસી લેવી.