વડોદરાના ૨૦ થી ૬૦ વર્ષના ૪૦૦ નાગરિકોનો પ્રોસેસ્ડ ફૂડ પર અભ્યાસ
વડોદરાના ૨૦ થી ૬૦ વર્ષના ૪૦૦ નાગરિકોનો પ્રોસેસ્ડ ફૂડ પર અભ્યાસ
Published on: 15th August, 2026

M.S. યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગ દ્વારા વડોદરાના ૪૦૦ નાગરિકો પર કરાયેલા અભ્યાસમાં ચોંકાવનારા તારણો મળ્યા છે. ૨૨% લોકો અઠવાડિયામાં એકવાર અને ૧૦% લોકો અઠવાડિયામાં બે થી ત્રણ વખત પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ ખરીદે છે. ૨૦ થી ૩૦ વર્ષના યુવાનોમાં આ ચલણ વધુ છે. મોટાભાગના લોકો પોષક તત્વો કરતાં બ્રાન્ડ નેમ, સ્વાદ અને કિંમતને મહત્વ આપે છે. ૪૬% લોકો બ્રેકફાસ્ટ કરતા નથી, જેના કારણે તેઓ દિવસ દરમિયાન આવા ફૂડ પર વધુ આધાર રાખે છે. આ સ્થિતિ ડાયાબિટીસ અને હૃદય રોગોના વધતા કેસો માટે ચિંતાજનક છે.