નર્મદામાં આદિવાસી જંગલ જમીન મુદ્દો: મનસુખ વસાવા અને અનંત પટેલ વચ્ચે રાજકીય ઘમાસાણ
નર્મદામાં આદિવાસી જંગલ જમીન મુદ્દો: મનસુખ વસાવા અને અનંત પટેલ વચ્ચે રાજકીય ઘમાસાણ
Published on: 15th August, 2026

નર્મદા જિલ્લામાં આદિવાસી ખેડૂતોના જંગલ જમીન મુદ્દે ચાલી રહેલા આંદોલનને હવે રાજકીય વળાંક મળ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા આ ખેડૂતોના સમર્થનમાં ધરણા પર બેઠા છે, પરંતુ આ મુદ્દે આદિવાસીઓમાં જ ભાગલા પડ્યા છે. ઉમરપાડાના આદિવાસી ખેડૂતોએ સાગબારાના ખેડૂતોના વિરોધમાં પ્રદર્શન કર્યું. મનસુખ વસાવાએ આને "પ્રી-પ્લાન" પ્રયાસ ગણાવ્યો. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે વસાવા પર કટાક્ષ કરી સરકારમાં તેમની વાત ન સંભળાતી હોવાનો આરોપ લગાવ્યો. વસાવાએ આદિવાસી હિત સર્વોપરી ગણાવી રાજીનામું આપવાની તૈયારી પણ દર્શાવી.