દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તિ સાથે દેશભક્તિની અનોખી ઝલક
દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તિ સાથે દેશભક્તિની અનોખી ઝલક
Published on: 15th August, 2026

80માં સ્વાતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી વચ્ચે, દ્વારકા જગત મંદિરમાં કૃષ્ણ ભક્તિની સાથે દેશભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો. મંદિરના શિખર પર 52 ગજ કાપડમાંથી બનાવેલો તિરંગા રંગનો ઝંડો લહેરાવવામાં આવ્યો, જે દેશ પ્રેમની ભાવના જગાવે છે. આ ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વની એક સાથે ઉજવણી દ્રશ્યોમાં કેદ થઈ, જ્યાં ભક્તોની આસ્થા અને દેશ પ્રત્યેનું સમર્પણ પ્રદર્શિત થયું.