
વિશ્વ યોગ દિવસની ઉજવણી:લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં વિદ્યાર્થીઓએ યોગ કરી નિયમિત અભ્યાસનો સંકલ્પ લીધો
Published on: 22nd June, 2025
વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળામાં બપોરે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સામુહિક યોગ અભ્યાસ કરી યોગના મહત્ત્વને સમજ્યુ. આચાર્ય સંદીપભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપ્યું. એક વિદ્યાર્થિનીએ વિશ્વ યોગ દિવસ વિશે વક્તવ્ય આપ્યું. વિદ્યાર્થીઓએ યોગ નિયમિત કરવાની પ્રતિજ્ઞા કરી. યોગથી સ્વસ્થતા અને તંદુરસ્તી આવે છે. કાર્યક્રમ દરમિયાન ચહેરા પર આનંદ જોવા મળ્યો, અને વિદ્યાર્થીઓ યોગના ફાયદા જાણીને ઉત્સાહીત થયા.
વિશ્વ યોગ દિવસની ઉજવણી:લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં વિદ્યાર્થીઓએ યોગ કરી નિયમિત અભ્યાસનો સંકલ્પ લીધો

વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળામાં બપોરે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સામુહિક યોગ અભ્યાસ કરી યોગના મહત્ત્વને સમજ્યુ. આચાર્ય સંદીપભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપ્યું. એક વિદ્યાર્થિનીએ વિશ્વ યોગ દિવસ વિશે વક્તવ્ય આપ્યું. વિદ્યાર્થીઓએ યોગ નિયમિત કરવાની પ્રતિજ્ઞા કરી. યોગથી સ્વસ્થતા અને તંદુરસ્તી આવે છે. કાર્યક્રમ દરમિયાન ચહેરા પર આનંદ જોવા મળ્યો, અને વિદ્યાર્થીઓ યોગના ફાયદા જાણીને ઉત્સાહીત થયા.
Published at: June 22, 2025
Read More at દિવ્ય ભાસ્કર