TET માંથી કાયમી મુક્તિની માંગ: રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને કરી રજૂઆત
TET માંથી કાયમી મુક્તિની માંગ: રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને કરી રજૂઆત
Published on: 19th June, 2026

રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પોરબંદર શાખા દ્વારા 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા અને કાયદાકીય સંરક્ષણ પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર લખીને તેમજ પોરબંદર કલેક્ટરને રજૂઆત કરી છે. 23 ઓગસ્ટ 2010ના રોજ NCTE દ્વારા TET ફરજિયાત કરાયું હતું. જોકે, તે પહેલાં થયેલી લાખો નિમણૂકો તે સમયના નિયમો મુજબ હતી. આ શિક્ષકોએ દાયકાઓ સુધી શિક્ષણમાં યોગદાન આપ્યું છે. નવા નિયમો ભૂતકાળની નિમણૂકો પર લાગુ ન થવા જોઈએ. તેથી, કેન્દ્ર સરકારે તાત્કાલિક સુધારા કરવા જોઈએ. મહાસંઘની માંગ છે કે 2010 પહેલાંના શિક્ષકોને TETમાંથી મુક્તિ, સેવા, વરિષ્ઠતા, બઢતી અને અન્ય લાભોનું રક્ષણ મળે.